૨ કાળવૃત્તાંત 34:8 - પવિત્ર બાઇબલ C.L.8 વિધર્મી ભક્તિનો અંત લાવી દેશ અને પ્રભુના મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી પોતાના અમલને અઢારમે વર્ષે યોશિયા રાજાએ, અઝાલ્યાનો પુત્ર શાફાન, યરુશાલેમનો સૂબો માસેયા અને ઇતિહાસકાર યોહાઝનો પુત્ર યોઆ એ ત્રણ માણસોને પોતાના ઈશ્વર પ્રભુના મંદિરનું સમારકામ કરવા મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પોતાના રાજ્યને અઢારમે વર્ષે, દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના ઈશ્વર યહોવાનું મંદિર સમારવા માટે મોકલ્યા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર શાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 દેશનું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી તેના શાસનના અઢારમા વર્ષે, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માઅસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર ફરી બાંધવા, મરામત કરાવવા મોકલ્યા. Viz kapitola |