ગણના 35:32 - પવિત્ર બાઈબલ32 “મુખ્ય યાજકનું મરણ થાય તે પહેલાં આશ્રયનગરમાં રક્ષણ લેનાર હત્યારા પાસેથી કોઈ પણ પ્રકારની રકમ સ્વીકારીને તેને ઘરે પાછા ફરવા માંટેની રજા આપી શકાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને આશ્રયનગરમાં નાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 જો કોઈ માણસે આશ્રયનગરમાં જઈને આશ્રય લીધો હોય તો પ્રમુખ યજ્ઞકારના અવસાન પહેલાં મુક્તિમૂલ્ય લઈને તેને પોતાના વતનમાં વહેલો પાછો જવા ન દેવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ. Viz kapitola |