૨ કાળવૃત્તાંત 35:8 - પવિત્ર બાઈબલ8 રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેના સરદારોએ લોકોને માટે ઐચ્છિકાર્પણ તરીકે યાજકોને તથા લેવીઓને [નીચે પ્રમાણે] આપ્યું. ઈશ્વરના મંદિરના કારભારીઓ હિલ્કિયા, ઝખાર્યા તથા યહિયેલે યાજકોને પાસ્ખાર્પણોને માટે બે હજાર છસો [ઘેટાંબકરાં] , તથા ત્રણસો ગોધા આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેના અમલદારોએ પણ લોકો, યજ્ઞકારો અને લેવીઓ માટે સ્વેચ્છાપૂર્વક અર્પણ આપ્યાં. વળી, ઈશ્વરના મંદિરના વહીવટદારો એટલે પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, ઝખાર્યા અને યેહિયેલે યજ્ઞકારોને બે હજાર છસો હલવાન અને લવારાં અને ત્રણસો આખલા પાસ્ખાના બલિદાન માટે આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં. Viz kapitola |