૨ કાળવૃત્તાંત 30:17 - પવિત્ર બાઈબલ17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા કે જેઓ પોતે પવિત્ર થયા નહોતા તે સર્વને યહોવાને માટે પવિત્ર કરવા માટે પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ઘણા લોકો વિધિગત રીતે શુદ્ધ નહિ હોવાથી તેઓ પાસ્ખાયજ્ઞનાં હલવાન કાપી શક્યા નહિ, તેથી લેવીઓએ તેમને માટે તે કાપ્યાં અને પ્રભુને હલવાનોનું સમર્પણ કર્યું Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું. Viz kapitola |